પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે અરજી કરો

You are searching for Pandit Din Dayal Upadhyay Awas Yojana Gujarat ? શું તમે પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ ભરવા માંગો છો? અહીં અમે તમને આ લેખ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ની સંપૂર્ણ માહીતી આપીશુ. આ યોજના નો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે તેમને પાકું મકાન બનાવવા સરકાર 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપે છે. હવે અમે તમને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About Pandit Din Dayal Upadhyay Awas Yojana | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય ગ્રામ્ય શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે. તીજો હપ્તો મકાનની તમામ કામગીરી તેમજ શૌચાલયના હોય તો શૌચાલય બનાવ્યા બાદ રૂ.20,000નો હપ્તો મળતો હોય છે. એમ ટોટલ 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપવામાં આવે છે. પહેલો હપ્તો મળ્યા બાદ બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની હોય છે.

Table of Pandit Din Dayal Upadhyay Awas Yojana | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

યોજનાનું નામ પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકાર સરકારી યોજના
અરજી પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલ esamajkalyan.gujarat.gov.in
 અરજી કરવાની છેલ્લી તારીખ 30/06/2022
લાભ રૂ.1,20,000ની મકાન સહાય

Agenda of Pandit Din Dayal Upadhyay Awas Yojana | પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. તેવા ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર દ્વારા નવું પાકું મકાન બનાવવા માટે 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપશે.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુક્ત જાતિના લોકે ને Pandit Din Dayal Upadhyay Awas Yojana નો લાભ મળશે.

Eligibility Criteria for Pandit Din Dayal Upadhyay Awas Yojana

  • આ યોજના માં લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
  • લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.

Document Required For Pandit Din Dayal Upadhyay Awas Yojana

  • અરજદારનો જાતિ / પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો 
  • અરજદારનો રહેઠાણનો પુરાવો ( આધાર કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈપણ એક )
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન / તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની , એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ. 
  • જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્ય મંત્રી / સિટી તલાટી ક્ય મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી 
  • BPL નો દાખલો
  • પતિના મરણ નો દાખલો ( જો વિધવા હોય તો ) 
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે , તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ ( તલાટી – કમ – મંત્રિશ્રિ ) ની સહીવાળી .
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની મહત્વની તારીખો

યોજના શરુ 16 June 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 30 June 2022
Important Link
સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાત Click Here
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો Click Here
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો Click Here
પ્રશ્નો હોય તો તેના જવાબ Click Here
HomePage Click Here

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ માટે અરજી કઈ રીતે કરવી? 

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.

  • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ samajkalyan.gujarat.gov.in પર જવું પડશે.
  • તમારી સામે હોમ પેજ ખુલશે.
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.

Pandit Din Dayal Upadhyay Awas Yojana Application Form [PDF]

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો. તમે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

Pandit Din Dayal Upadhyay Awas Yojana Application Form

FAQ’s Of Pandit Din Dayal Upadhyay Awas Yojana

Q: પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના શું છે?
Ans: સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગો અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને શહેરો અને ગામડાઓમાં રહેવાની મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર દ્વારા મકાન બનાવ 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપવામાં આવે છે.

Q: પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

Ans: પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022
Q: Pandit Din Dayal Upadhyay Awas Yojana માં મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: પંડિત દીનદયાળ આવાસ યોજના માં 1,20,000/- રૂપિયા સહાય મળવાપાત્ર થશે.
Q: મકાન તૈયાર હોય તો મદદ મેળવી શકાય?
Ans: ના, પ્રિફેબ્રિકેટેડ મકાન પર સહાય મેળવી શકાતી નથી.
Q: Pandit Din Dayal Upadhyay Awas Yojana માં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?
Ans: પંડિત દીનદયાળ આવાસ યોજના અધિકૃત વેબસાઈટ: https://esamajkalyan.gujarat.gov.in

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને પંડિત દીનદયાળ આવાસ યોજના | Pandit Din Dayal Upadhyay Awas Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.