તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર, હસમુખ પટેલે પરીક્ષા અંગે કરી જાહેરાત

તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર, હસમુખ પટેલે પરીક્ષા અંગે કરી જાહેરાત : ojas.gujarat.gov.in 7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઉમેદવારોને 50-60 કિમીના વિસ્તારમાં જ કેન્દ્ર ફાળવવામાં આવશે.

તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર : ગુજરાતભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં નિર્વિઘ્ને સમાપ્ત થયા બાદ હવે વહીવટી તંત્રએ તલાટીની પરીક્ષાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 07 મે, 2023ના રોજ તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે તલાટીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જેઓ તલાટીની પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કેન્ફર્મેશન ન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં.

ટ્વિટ કરીને આપી હતી મહત્વની જાણકારી

ગઈકાલે ટ્વિટ કરીને પણ તલાટીની પરીક્ષાને લઇ હસમુખ પટેલે મહત્વની જાણકારી આપી હતી. હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.

‘ તમને જણાવી દઇએ કે, ઉમેદવારોએ અગાઉ પેપર વહેલું આપવાની રજૂઆત કરી હતી. આથી આ મુદ્દે હસમુખ પટેલે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. પ્રશ્નપત્ર અપાતા પહેલાં ઉમેદવારો પાસેથી અંગૂઠાનું નિશાન અને સહી લહી લેવાશે.

તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર

GPSSB Talati Sammati Patra 2023 : આજે મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડીને પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે માહિતી આપી હતી. આ બાબતે અનોખું પાસું એ છે કે યોગ્ય પરીક્ષા કેન્દ્રોની અછતને કારણે તલાટીની તારીખ ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી.

આ અગાઉ તલાટીની પરીક્ષા તારીખ 30 એપ્રિલ નક્કી કરેલ હતી જે આજ રોજ આયોજિત તલાટી કસોટી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે.

6 લાખથી વધુ ઉમેદવારોએ આપ્યું છે કન્ફર્મેનશ

તેમણે કહ્યું કે, કન્ફેર્મેશનની પ્રક્રિયા 20 એપ્રિલે પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ ઉમેદવારોએ કન્ફર્મેશન આપ્યું છે. જેથી બાકીના ઉમેદવારો છેલ્લી ઘડીની રાહ જોયા વિના કન્ફર્મેશન આપે તે જરૂરી છે. ઉમેદવારોની સંખ્યા અને ઉપલબ્ધ કેન્દ્રોના આધારે કેન્દ્રની ફાળવણી કરવામાં આવશે. ઉમેદવારોને 50-60 કિમીના વિસ્તારમાં જ કેન્દ્ર ફાળવવામાં આવશે.

1 કલાકમાં સોલ્વ થઈ શકે તેવું પેપર હશેઃ

તેમણે ઉમેદવારોને મુંજવતા પ્રશ્ન અંગે સ્પષ્ટતા કરી કે, કન્ફર્મેશનની રસીદ ડાઉનલોડ કરવાની જરૂર નથી. જે ઉમેદવારો સંમતિપત્રક ભરશે, તે ઉમેદવારો જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તલાટીના પેપર અંગે હસમુખ પટેલે કહ્યું કે, પરીક્ષા શરૂ થવાના સમયે પ્રશ્નપત્ર આપવામાં આવશે. એક કલાકમાં પેપર સોલ્વ કરી શકે તેવું પેપર હશે, પરંતુ ઉમેદવાર પર આધારિત છે કે ઉમેદવાર પેપર વહેલું પૂર્ણ કરી શકે કે પ્રશ્નો છુટી શકે.

આ પહેલા સંમતિપત્રને લઇને અન્ય ટ્વિટ દ્વારા હસમુખ પટેલે મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે, ‘ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી થાય છે. ત્યારબાદ કેન્દ્રના નામ સાથેના કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય છે. જેથી  કોલ લેટર ડાઉનલોડ થયા બાદ સંમતિપત્ર કરવાનો કોઈ ફાયદો નથી.

‘આ સિવાય કહ્યું હતું કે, ‘સંમતિ પત્ર ભર્યા બાદ કોઈ ઉમેદવાર કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો ઉમેદવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. ઉમેદવાર પરીક્ષા આપવા ઈચ્છા ધરાવતા હોય તેઓ વહેલી તકે સંમતિપત્ર ભરી લે.’

સંમતિપત્ર ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો

ઉમેદવારોએ ભરવાનું રહેશે પરીક્ષાનું સંમતિ ફોર્મ

તલાટીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ @ ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને કન્ફર્મેશન ફોર્મ ભરવાનું રહેશે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ થઈ રહી હતી કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજાશે.

જોકે, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે નહીં પરંતુ હવે 7 મે, 2023ના રોજ લેવાશે.

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Talati Exam 17,10,368 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા છે. જે આંકડો ખુબ જ મોટો છે તેથી GPSSB બોર્ડે પરીક્ષા આપવા માટેની સંમતિ લેવાનું નક્કી કર્યું છે જેનુ ફોર્મ ઓજસ પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું રહેશે. આ લેખમાં આપડે તમામ માહિતીની વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશું.

Important Link

સત્તાવાર વેબસાઈટ અહીં કલકી કરો
વધુ માહિતી માટે અહીં કલકી કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર । GPSSB Talati Sammati Patra 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.