તલાટી પરીક્ષા બેગ અને બૂટ-ચંપલ અંદર લઈ જવા મામલે મહત્ત્વની જાહેરાત

તલાટી પરીક્ષા બેગ અને બૂટ-ચંપલ અંદર લઈ જવા મામલે મહત્ત્વની જાહેરાત : રાજ્યભરમાં આવતીકાલે એટલે 7 મેના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષા યોજાવવાની છે. જેમાં રાજ્યભરમાંથી 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપવાના છે. આ અંગે આજે ભરતીબોર્ડ અધ્યક્ષ, હસમુખ પટેલે મીડિયા સાથે વાત કરીને કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી.

તલાટી પરીક્ષા બેગ અને બૂટ-ચંપલ અંદર લઈ જવા મામલે મહત્ત્વની જાહેરાત તેમણે જણાવ્યુ હતુ કે, ‘ઉમેદવારો પરીક્ષા પૂર્ણ થયા બાદ જ કેન્દ્રની બહાર આવી શકે છે.’ આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, ‘ઉમેદવારોએ બૂટ ચંપલ પરીક્ષા રૂમની બહાર કાઢીને જ અંદર પ્રવેશ કરવાનો રહેશે.’

બૂટ ચંપલ અંગે મહત્ત્વની જાહેરાત

ઉમેદવારોના સામાન અંગે તેમણે જણાવ્યુ કે, ‘ઉમેદવારોના સામાન માટે પ્રેવશ દ્વાર પાસે ઉમેદવારો પોલીસની પાસે તેમનો સામાન મુકી શકે છે અને જતી વખતે તે લઇ શકે છે. દરેક ઉમેદવારો શાળામાં પ્રવેશે તે પહેલા તેમની વીડિયોગ્રાફી કરે તેની વ્યવસ્થા કરી છે.

તલાટી પરીક્ષા બેગ અને બૂટ-ચંપલ અંદર લઈ જવા મામલે મહત્ત્વની જાહેરાત

પોલીસ પણ તેમના બોડીવોર્ન કેમેરાની મદદથી વીડિયોગ્રાફી કરી શકે છે. ઉમેદવારોને પ્રવેસ કરતા પહેલા બૂટ ચંપલ કાઢીને તેમની તપાસ કરવામાં આવશે. ઉમેદવારો વર્ગખંડમાં બૂટ ચંપલ પહેરીને જઇ શકશે નહીં બહાર કાઢી દેવડાવામાં આવશે.

કેવી ઘડિયાળ પહેરી શકશો?

આ ઉપરાંત તેમણે ઉમેદવારો માટે જણાવ્યુ કે, ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ પરીક્ષા કેન્દ્રમાં લઇ જઇ શકે છે. તે માટે તેમને રોકવામાં આવે તો તેઓ પોતાનો કોલ લેટર બતાવી શકે.

તલાટી પરીક્ષા બેગ અને બૂટ-ચંપલ અંદર લઈ જવા મામલે મહત્ત્વની જાહેરાત જેમાં પણ આ લખવામાં આવ્યું છે. કોઇપણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઇ જવાની છૂટ નથી. ઉમેદવારો વાહન લઇને આવ્યા હોય તો તેની ચાવી પણ પરીક્ષા કેન્દ્રમાં લઇ જવામાં નહીં આવે.

પાણીની વ્યવસ્થા

તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘ઉમેદવારોએ 11.55 કલાકે વર્ગખંડમાં પ્રવેશી દેવાનું રહેશે. જે બાદ દોઢ વાગે પરીક્ષા પુરી ન થાય ત્યાં સુધી તેઓ તેમનો વર્ગખંડ છોડી શકશે નહીં. જેથી ઉમેદવાર પેશાબ પાણી પતાવીને વર્ગખંડમાં જાય. ત્યાં તેમને પાણીની પુરતા પ્રમાણમાં આપવામાં આવશે.’

‘ગેરરીતિમાં સંડોવાયેલા પર ચાંપતી નજર રખાશે’

હસમુખ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યુ કે, ‘પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે જે તે જિલ્લામાં રિહર્સલ પણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે ઇન્ટેલિજન્સ તંત્ર, પોલીસ તંત્ર સાબદું છે. ભૂતકાળમાં જે લોકોએ આવી પરીક્ષાઓમાં ગેરરીતિમાં સંડોવાયેલા છે તેમની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.’

ટ્રેન-બસની વ્યવસ્થા

તલાટી પરીક્ષા બેગ અને બૂટ-ચંપલ અંદર લઈ જવા મામલે મહત્ત્વની જાહેરાત આ ઉપરાંત પણ તેમણે જણાવ્યુ કે, ‘રેલવેએ આ માટે વધારાની નવ ટ્રેન શરૂ કરી છે. આ ઉપરાંત જીએસઆરટીસી દ્વારા પણ જેમ જેમ ઓનલાઇન બસો ભરાતી જાય તેમ તેમ નવી બસો મુકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી અમે 619 બસો મુકી છે. જેમા સડાસત્તર હજાર જેટલા લોકોએ બુકિંગ કર્યુ છે.’

આ પણ વાંચો,Gujjuonline

તલાટીની પરીક્ષા માટે રેલવે દોડાવશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન

તલાટી પરીક્ષા : ઉમેદવારો માટે રહેવા-જમવાની કરાઇ વ્યવસ્થા, જાણી લો સરનામાં અને મોબાઇલ નંબર

તલાટી કમ મંત્રીના પેપર ડાઉનલોડ કરો

તલાટીના આ ઉમેદવારોના કેન્દ્રમાં ફેરફાર

તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર, હસમુખ પટેલે પરીક્ષા અંગે કરી જાહેરાત

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તલાટી પરીક્ષા બેગ અને બૂટ-ચંપલ અંદર લઈ જવા મામલે મહત્ત્વની જાહેરાત સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.