indira gandhi vrudh pension yojana, દર મહિને મળશે 1000 થી 1250 સુધીની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી

Are You Looking for Indira Gandhi Vrudh pension Yojana । શું તમે ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના શોધી રહ્યા છો? તો તમારા માટે વૃદ્ધ સહાય યોજનાની પુરી જાણકારી લાવ્યા છીએ. Here we are providing Vrudh sahay Yojana.અહીંથી ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના વિશેની માહિતી તેમજ Vrudh Pensan Yojana જણાવીશું.

જો તમારા ઘરમાં પણ કોઈ સભ્ય 60 વર્ષ કે તેથી વધુ વયના હોય તો સરકારની આ યોજના હેઠળ રૂપિયા 1000 થી 1250 રૂપિયાની સહાય દે મહિને મળવાપાત્ર છે. મિત્રો આ યોજનાનું નામ ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે ? અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે ? કોને કોને વૃદ્ધ પેન્શન યોજના નો લાભ મળશે ? આ બધી માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો

indira gandhi vrudh pension yojana

ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત સહાય મેળવવા માટે નીચે મુજબ ના પાત્રતા ધોરણો નક્કી કરવામા આવેલ છે.

  • અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી થી વધુ હોવી જોઈએ .
  • દિવ્યાંગ અરજદારના કિસ્સામાં ઉંમર ૪૫ વર્ષ કે તે થી વધુ હોવી જોઈએ અને દિવ્યાંગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વધુ હોવી જોઈએ.

ઉપર મુજબની પાત્રતા ધરાવતા હોય અને BPL ન હોય તો પણ આ યોજના અંતર્ગત વૃધ્ધ પેંશન મેળવી શકે છે.

વૃધ્ધ પેન્શન યોજના આવક મર્યાદા

ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના અંતર્ગત નીચે મુજબ અવક મર્યાદા નિયત કરવામા આવી છે.

  • ગ્રામ્ય વિસ્તાર માટે અરજદાર ઉમેદવારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.
  • શહેરી વિસ્તાર માટે ઉમેદવારના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦/-થી વધુ ન હોવી જોઇએ.

અન્ય શરતો

  • અરજદાર છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજયમાં વસવાટ કરતો હોવો જોઈએ. તો જ આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર છે.
  • અરજદારને ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર કે પૌત્ર ન હોવો જોઈએ.
  • જેમને ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર અથવા પૌત્ર હયાત હોવા છતાં તે પુત્ર કે પૌત્ર શારિરીક દિવ્યાંગતા અથવા માનસિક અસ્થિરતા ધરાવતી હોય અને કમાવવાને અશક્તિમાન હોય તેવા નિરાધાર વૃધ્ધ કે નિરાધાર દિવ્યાંગ સહાયને પાત્ર થશે.
  • જેમને ૨૧ વર્ષથી વધુ વયનો પુત્ર હયાત હોવા છતાં તેના પુત્ર કેન્સર કે ટી.બી.થી પિડાતા હોય અને કમાવવા માટે અશકત હોય તેવા નિરાધાર વૃધ્ધ, નિરાઘાર દિવ્યાંગ વ્યકિત જો તેમના પુખ્ત ઉંમરના પુત્રની ઉપર જણાવેલ ગંભીર પ્રકારની બિમારી અંગે સિવિલ સર્જન પાસેથી પ્રમાણપત્ર રજુ કરે તો સહાયને પાત્ર થશે. ટી,બી, ની બિમારીમાંથી સ્વસ્થ અને કમાવવાને શક્તિમાન થયે સહાય બંધ થશે,

ગરીબી રેખા નીચે (B.P.L.) સામાવિષ્ટ થતાં અરજદારો માટે પાત્રતાનાં ધોરણો

  • ઉંમરનું ધોરણ : અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી થી વધુ હોવી જોઈએ .

આવક મર્યાદા :

૧,અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય અને ગરીબી રેખા હેઠળ B.P.L. યાદીમાં ૦ થી ૨૦ નાં સ્કોરમાં સમાવિષ્ઠ હોવો જોઇએ.

૨. શહેરી વિસ્તારનાં અરજદારો માટે કેન્દ્ર સરકારનાં અર્બન હાઉસિંગ & પોર્વટી એલીવેશન મંત્રાલયનાં ગરીબી નિવારણ કાર્યક્રમોનાં સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી B.P.L. યાદીમાં સમાવિષ્ઠ હોવો જોઇએ.

વસવાટનું ધોરણ :

૧. અરજદાર છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત રાજયમાં વસવાટ કરતો હોવો જોઇએ.

વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ

  • જિલ્લા કલેકટર કચેરી પરથી આ યોજનાનુ ફોર્મ મેળવી શકાય છે.
  • મામલતદાર કચેરીથી પણ આ યોજનાનુ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી પણ અરજી ઓનલાઈન કરી શકાય છે.
  • આ ઉપરાંત નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • આ યોજના અંતર્ગત અરજી મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

વૃધ્ધ પેન્શન યોજના સહાય

આ યોજના અંતર્ગત ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક સહાય ચુકવવામાં આવે છે.

 Important Links

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના સુધારા ઠરાવ અહિં ક્લીક કરો
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો
whatsapp ગૃપ જોઇન કરો અહિં ક્લીક કરો

Leave a Comment