PM મોદી ફ્રીમાં આપશે 239 રૂપિયાનું રિચાર્જ! આ વાયરલ સંદેશ સાચો છે કે પછી…..

PM મોદી ફ્રીમાં આપશે 239 રૂપિયાનું રિચાર્જ! : આજકાલ લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોનનો ઉપયોગ સાવ સામાન્ય બની ગયો છે. લોકોને મોંઘા સ્માર્ટફોન પણ જોવા મળે છે.

PM મોદી ફ્રીમાં આપશે 239 રૂપિયાનું રિચાર્જ!

તે જ સમયે, ફોનનું રિચાર્જ પણ ખૂબ મોંઘું થઈ ગયું છે. દર મહિને લોકોને તેમના મોબાઈલ ફોન રિચાર્જ કરવા માટે લગભગ 200-300 રૂપિયા ખર્ચવા પડે છે. આ દરમિયાન એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભારતીયોને ફ્રી મોબાઈલ રિચાર્જ આપવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ઘણા મેસેજ વાયરલ થાય છે. આમાં, ઘણા નકલી સંદેશાઓ પણ વાયરલ થાય છે, જેના દ્વારા અફવાઓ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું અથવા લોકોને છેતરીને આર્થિક નુકસાન પહોંચાડવાનું કામ કરવામાં આવે છે. હવે આવો જ એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેની ફેક્ટ ચેક PIB દ્વારા કરવામાં આવી છે.

ફેક છે મોદીના નામની આ લિંક… 

WhatsApp પર જે લિંક વાયરલ થઇ રહી છે જેનું એડ્રેસ balance.modi-gov.in છે. લિંકની ખાસ વાત એ છે કે આમાં ‘MODI’ શબ્દોનો યૂઝ કરવામાં આવ્યો છે. મોદીના નામથી આ ફેક લિંકને તૈયાર કરવામાં આવી છે, જેથી યૂઝર્સ આને સરળતાથી ફોલો કરો.
જ્યારે આ લિંકને ઓપન કરવામાં આવે ત્યારે તેના હોમપેજ પર કેટલીય ટેલિકૉમ કંપનીઓના લૉગો દેખાય છે, સાથે તેના ઉપર 500 રૂપિયાનું ફ્રી રિચાર્જ પણ લખેલું હોય છે. અહીં ‘દેશ બદલ રહા હે’નો મેસેજ પણ લખેલો છે.

PM મોદી ફ્રીમાં રિચાર્જનો આ દાવો કર્યો

વાયરલ મેસેજમાં કરાયેલા દાવાની પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા તથ્ય-તપાસ કરવામાં આવી છે. આ વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીય યુઝર્સને 28 દિવસ માટે ₹239નું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે જેથી 2024ની ચૂંટણીમાં વધુને વધુ લોકો બીજેપીને વોટ આપી શકે અને ફરીથી બીજેપીની સરકાર બની શકે.’ આ સાથે આ મેસેજમાં નીચે એક લિંક પણ આપવામાં આવી છે.

PIB PM મોદી રિચાર્જ!

મોબાઈલ રિચાર્જને લઈને કંપનીઓ સતત અલગ-અલગ ઑફર્સ આપીને લોકોને ફસાવે છે. સોશિયલ મીડિયા પર આ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, ઘણી વખત કંપની લોકોને ફ્રી ડેટા અને કોલિંગ ઑફર પણ આપે છે. હવે આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે. જો કે આમાં કોઈ કંપનીનું નામ નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર દ્વારા લોકોને ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે.

શું છે વાયરલ દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાની વાત કરીએ તો તેનો સ્ક્રીનશોટ અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ સ્ક્રીનશોટમાં એક મેસેજ લખવામાં આવ્યો છે, જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે. વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે-

” પીએમ મોદી દ્વારા તમામ ભારતીય યૂઝર્સને 239 રૂપિયાનું 28 દિવસનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે જેથી 2024ની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો ભાજપને વોટ કીર શકે અને ફરીથી ભાજપની શરકાર બની શકે. મેં પણ મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવ્યું છે તમે પણ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ કરાવી શકો છો. ”

ખોટો સંદેશ છે કે નહિ?

જોકે, PIB ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. PIB ફેક્ટ ચેક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ દાવો નકલી છે. આ ફ્રી રિચાર્જ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી નથી. આ છેતરપિંડીનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં કોઈ અજાણ્યા મેસેજમાં આપેલી લિંક પર ક્લિક પણ ન કરો. આ એક કૌભાંડ પણ હોઈ શકે છે.

શું છે વાયરલ દાવાની સત્યતા

હવે તમને આ વાયરલ દાવાની સત્યતા જણાવો. વાસ્તવમાં, સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી, જેમાં ફ્રી રિચાર્જ ઉપલબ્ધ હોય. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. પીઆઈબીએ તેની હકીકત પણ તપાસી છે. આ એક સ્કેમ છે, જો તમને પણ આવો જ મેસેજ મળ્યો હોય તો તેને તરત જ ડિલીટ કરો.

કારણ કે જો તમે આપેલ લિંક પર ક્લિક કરો છો, તો તમારું એકાઉન્ટ તરત જ ખાલી થઈ શકે છે. એટલા માટે આવા મેસેજ ફોરવર્ડ કરવાનું ટાળો અને સામેની વ્યક્તિને પણ તેની જાણ કરો.

ઓપરેટર્સ અને મોબાઇલ નંબરનું ફેક લિસ્ટ 

હોમપેજ પર જ એક ઓટો લિંક ‘રાઇટ ટુ લેફ્ટ’ એનિમેટેડ થઇ રહી છે, આમાં લાસ્ટ રિચાર્જ, મોબાઇલ નંબર્સ અને ટેલિકૉમ ઓપરેટર્સની ડિટેલ્સ આપવામાં આવી છે. આમાં મોબાઇલનાં ફક્ત આગળના 6 નંબર જ દેખાય છે. જોકે જ્યારે આ લિંકની તપાસ કરવામાં આવી ત્યારે તે ફેક નીકળી.

શું કહે છે એક્સપર્ટ 

એક્સપર્ટનું કહેવું છે કે આવા પ્રકારની લિંક પર જ્યારે કોઇ યૂઝર્સ પોતાની ડિટલ્સ આપે છે ત્યારે તે હેકર્સ પાસે પહોંચી જાય છે. જેનો દુરપયોગ થઇ શકે છે. સાથે આમાં એવી ટર્મ્સ અને કન્ડિશન જોડી દે છે જેથી યૂઝર્સ લાલચમાં આવી વાયરલ પણ કરે છે.

આ પણ વાચો,Gujjuonline

ATM માંથી રોકડ ઉપાડવાની પદ્ધતિ બદલાઈ

ઘર બેઠા ચેક કરો તમારી જમીન કોના નામે છે, વારસદાર માં કોના કોના નામ છે

હવે HDFC ના ગ્રાહકો Credit Card દ્વારા UPI પેમેન્ટ કરી શકશે

ફક્ત 2 મિનિટમાં ગેસ બુકિંગ કરો

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને PM મોદી ફ્રીમાં આપશે 239 રૂપિયાનું રિચાર્જ! સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.