તલાટીની પરીક્ષા માટે રેલવે દોડાવશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન

તલાટીની પરીક્ષા માટે રેલવે દોડાવશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન : રાજ્યભરમાં આવતીકાલે એટલે 7 મેના રોજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષા યોજાવવાની છે. જેમાં રાજ્યભરમાંથી 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપવાના છે. આ અંગે આજે ભરતીબોર્ડ અધ્યક્ષ, હસમુખ પટેલે મીડિયા સાથે વાત કરીને કેટલીક મહત્ત્વની બાબતો જણાવી હતી.

તલાટીની પરીક્ષા માટે રેલવે દોડાવશે પરીક્ષા “સ્પેશિયલ ટ્રેન” તેમણે જણાવ્યુ હતુ કે, ‘ઉમેદવારો પરીક્ષા પૂર્ણ થયા બાદ જ કેન્દ્રની બહાર આવી શકે છે.’ આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, ‘ઉમેદવારોએ બૂટ ચંપલ પરીક્ષા રૂમની બહાર કાઢીને જ અંદર પ્રવેશ કરવાનો રહેશે.’

તલાટીની પરીક્ષા માટે રેલવે દોડાવશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાત સરકાર દ્વારા 7 મે, 2023ના રોજ તલાટીની પરીક્ષા આયોજન કર્યુ છે. પરિક્ષા કેન્દ્રો પરની તૈયારીઓ ચાલી રહી છે અને પોલીસ પણ બંદોબસ્તનુ આયોજન કરી રહી છે. ત્યારે એસટી અને રેલવે દ્વારા પણ પરિક્ષાર્થીઓને કેન્દ્ર પર પહોંચાળવા માટે વિશેષ આયોજન કરી રહ્યા છે.

આ પરીક્ષાર્થીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા 7મી મે 2023ના રોજ સાબરમતી અને પાલનપુર વચ્ચે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનની બે જોડી અને ગાંધીગ્રામથી ભાવનગર સુધીની એક જોડી સ્પેશિયલ ભાડા પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ રેલવે ડિવિઝનના પી.આર.ઓ જીતેન્દ્રકમાર જયંતે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, તલાટીની પરિક્ષા લાખો વિદ્યાર્થીઓ આપવા જવાના છે. વિદ્યાર્થીઓને પોતાના કેન્દ્ર પર સમયસર પહોંચી શકે તે માટે રેલવે વિભાગે પણ વિશેષ વ્યવસ્થા કરી છે.

સાબરમતીથી પાલનપુર વચ્ચે ડેમુ ચલાવવામાં આવે છે. ભાવનગરથી ગાંધીગ્રામ વચ્ચે ડેમુ પરિક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.

તલાટીની પરીક્ષા માટે રેલવે દોડાવશે

– ટ્રેન નં. 09471/09472 સાબરમતી-પાલનપુર-સાબરમતી (ડેમુ) પરીક્ષા સ્પેશિયલ ટ્રેન બે ફેરા રહેશે.

– ટ્રેન નંબર 09471 સાબરમતી-પાલનપુર પરીક્ષા સ્પેશિયલ સાબરમતીથી સવારે 04.30 વાગ્યે  ઉપડશે અને 07.10 વાગ્યે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09472 પાલનપુર-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ પાલનપુરથી સવારે 07.40 ઉપડીને 10.10 વાગ્યે સાબરમતી પહોંચશે રૂટમાં આ ટ્રેન કલોલ અને મહેસાણા સ્ટેશને ઉભી રહેશે.

– ટ્રેન નં. 09473/09474 સાબરમતી-પાલનપુર-સાબરમતી (ડેમુ) પરીક્ષા સ્પેશિયલ ટ્રેન બે ફેરા રહેશે.

– ટ્રેન નંબર 09473 સાબરમતી-પાલનપુર પરીક્ષા સ્પેશિયલ સાબરમતીથી 16.30 વાગ્યે ઉપડશે અને 18.55 વાગ્યે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09474 પાલનપુર-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ પાલનપુરથી 19.35 વાગ્યે ઉપડશે અને 22.30 વાગ્યે સાબરમતી પહોંચશે. રૂટમાં આ ટ્રેન કલોલ અને મહેસાણા સ્ટેશને ઉભી રહેશે.

– ટ્રેન નં. 09579/09580 ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન બે ટ્રીપ રહેશે.

– ટ્રેન નંબર 09579 ભાવનગર-ગાંધીગ્રામ પરીક્ષા સ્પેશિયલ ભાવનગરથી સવારે 04.50 વાગ્યે ઉપડશે અને 09.15 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09580 ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી 15.30 વાગ્યે ઉપડશે અને 20.10 વાગ્યે ભાવનગર પહોંચશે. રૂટમાં આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોલા, બોટાદ, ધંધુકા, ધોળકા અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહેશે.

કેવી ઘડિયાળ પહેરી શકશો?

આ ઉપરાંત તેમણે ઉમેદવારો માટે જણાવ્યુ કે, ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ પરીક્ષા કેન્દ્રમાં લઇ જઇ શકે છે. તે માટે તેમને રોકવામાં આવે તો તેઓ પોતાનો કોલ લેટર બતાવી શકે. જેમાં પણ આ લખવામાં આવ્યું છે.

કોઇપણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઇ જવાની છૂટ નથી. ઉમેદવારો વાહન લઇને આવ્યા હોય તો તેની ચાવી પણ પરીક્ષા કેન્દ્રમાં લઇ જવામાં નહીં આવે.

‘ગેરરીતિમાં સંડોવાયેલા પર ચાંપતી નજર રખાશે’

હસમુખ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યુ કે, ‘પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે જે તે જિલ્લામાં રિહર્સલ પણ કરવામાં આવશે.

આ પરીક્ષા માટે ઇન્ટેલિજન્સ તંત્ર, પોલીસ તંત્ર સાબદું છે. ભૂતકાળમાં જે લોકોએ આવી પરીક્ષાઓમાં ગેરરીતિમાં સંડોવાયેલા છે તેમની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.’

પાણીની વ્યવસ્થા

તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘ઉમેદવારોએ 11.55 કલાકે વર્ગખંડમાં પ્રવેશી દેવાનું રહેશે. જે બાદ દોઢ વાગે પરીક્ષા પુરી ન થાય ત્યાં સુધી તેઓ તેમનો વર્ગખંડ છોડી શકશે નહીં. જેથી ઉમેદવાર પેશાબ પાણી પતાવીને વર્ગખંડમાં જાય. ત્યાં તેમને પાણીની પુરતા પ્રમાણમાં આપવામાં આવશે.’

ટ્રેન-બસની વ્યવસ્થા

આ ઉપરાંત પણ તેમણે જણાવ્યુ કે, ‘રેલવેએ આ માટે વધારાની નવ ટ્રેન શરૂ કરી છે. આ ઉપરાંત જીએસઆરટીસી દ્વારા પણ જેમ જેમ ઓનલાઇન બસો ભરાતી જાય તેમ તેમ નવી બસો મુકવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમે 619 બસો મુકી છે. જેમા સડાસત્તર હજાર જેટલા લોકોએ બુકિંગ કર્યુ છે.’

બૂટ ચંપલ અંગે મહત્ત્વની જાહેરાત

ઉમેદવારોના સામાન અંગે તેમણે જણાવ્યુ કે, ‘ઉમેદવારોના સામાન માટે પ્રેવશ દ્વાર પાસે ઉમેદવારો પોલીસની પાસે તેમનો સામાન મુકી શકે છે અને જતી વખતે તે લઇ શકે છે. દરેક ઉમેદવારો શાળામાં પ્રવેશે તે પહેલા તેમની વીડિયોગ્રાફી કરે તેની વ્યવસ્થા કરી છે.

પોલીસ પણ તેમના બોડીવોર્ન કેમેરાની મદદથી વીડિયોગ્રાફી કરી શકે છે. ઉમેદવારોને પ્રવેસ કરતા પહેલા બૂટ ચંપલ કાઢીને તેમની તપાસ કરવામાં આવશે. ઉમેદવારો વર્ગખંડમાં બૂટ ચંપલ પહેરીને જઇ શકશે નહીં બહાર કાઢી દેવડાવામાં આવશે.’

આ પણ વાંચો,Gujjuonline

તલાટી પરીક્ષા : ઉમેદવારો માટે રહેવા-જમવાની કરાઇ વ્યવસ્થા, જાણી લો સરનામાં અને મોબાઇલ નંબર

તલાટી કમ મંત્રીના પેપર ડાઉનલોડ કરો

તલાટીના આ ઉમેદવારોના કેન્દ્રમાં ફેરફાર

તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર, હસમુખ પટેલે પરીક્ષા અંગે કરી જાહેરાત

તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તલાટીની પરીક્ષા માટે રેલવે દોડાવશે પરીક્ષા “સ્પેશિયલ ટ્રેન” સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.