સરકારી શાળામાં ભણતી સુરતની વિદ્યાર્થીની ધોરણ 12 માં મેળવ્યા 99.99 PR : વિધવા માતા માટે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ એકલા હાથે બાળકોનો ઉછેર કરવો એ મુશ્કેલી ભર્યું કામ હોય છે. જોકે આવી પરિસ્થિતિમાં પણ એક માતા તેના બાળકને ભણાવવા માટે જે કંઈ કરવું પડે તે કરે છે અને આવું જ કંઈ કર્યું છે.
સુરત શહેરની એક વિધવા માતા ઉજ્જવલા પાટીલ. આ માતા ઘરકામ કરીને પોતાના ત્રણ બાળકોને ભણાવી રહી છે તેમની દીકરી જાગૃતિ એ સરકારી શાળામાં જ અભ્યાસ કરીને 12 કોમર્સમાં 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
સુરતની વિદ્યાર્થીની ધોરણ 12 માં મેળવ્યા 99.99 PR
જાગૃતિ બાલમંદિરમાં અભ્યાસ કરતી હતી ત્યારે પિતા ઘર છોડીને જતા રહ્યા હતા જેથી પરિવારની સંપૂર્ણ જવાબદારી માતા પર આવી હતી અને માતા ઉજ્જવલા પાટીલ ઘર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જાગૃતિને એક ભાઈ અને એક બહેન છે. જાગૃતિએ 95.91 ટકા પ્રાપ્ત કરતા માતા સહિત પરિવારમાં ખુશી છે.
માતા ઉજ્જવલાબેન ઘરકામ કરી બાળકોને ભણાવે
આજે ધોરણ -12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે પાંડેસરા કર્મયોગી સોસાયટી ખાતે રહેતા જાગૃતિ પાટીલ નામની વિદ્યાર્થીનીએ 99.99 પર્સન્ટાઈલ અને 95.91 ટકા મેળવીને સાબિત કરી બતાવ્યું છે કે, સુવીધાથી ભરપુર શાળાઓ કે કોચિંગ ક્લાસીસથી જ પરિણામ મળતું નથી.
પરિણામ માત્ર મહેનતથી જ મળે છે અને સરકારી શાળામાં અભ્યાસ કરતી પિતા વગરની વિદ્યાર્થીનીનું આવું પરિણામ તેની માતાને કારણે છે. માતા ઉજ્જવલાબેન ઘરકામ કરીને બાળકોને ભણાવી રહ્યા છે.
CA બની માતાની મદદ કરવી
આ અંગે જાગૃતિ એ જણાવ્યું હતું કે, મારા પરિણામનો શ્રેય આચાર્ય , શિક્ષકો અને ટ્યુશન ક્લાસીસના શિક્ષકોને આપું છું. સૌથી વધુ શ્રેય મારી માતાને છે કારણ કે સિંગલ પેરેન્ટ બનીને ઘરકામ કરીને તેને અમારો ઉછેર કર્યો છે. પિતાને દારૂની લત હોવાથી તેઓ અમારી સાથે રહેતા નથી. હું CA બનવા માગું છું અને મારી માતાની મદદ કરવા માંગુ છું.
જાગૃતિ મામાના ઘરે રહીને ભણે છે
ઉલ્લેખનીય છે કે, 15 વર્ષ પહેલા પિતા રણછોડ પાટીલ પરિવારને છોડીને જતા રહ્યા છે અને માતા વેસુમાં ઘર કામ કરી બાળકોને ભણાવે છે. જાગૃતિ મામાના ઘરે રહીને ભણે છે અને તેણે ધોરણ 1થી 12 સુધી સરકારી શાળામાં જ અભ્યાસ કર્યો છે.
હાલમાં ઉધના ખાતે આવેલ સુરત મહાનગરપાલિકાની સુમન હાઈસ્કૂલ- 6 અભ્યાસ કરતી હતી. થોડા દિવસ પહેલા ધોરણ 10ના પરિણામમાં જાગૃતિની નાની બહેન ભાવિકા એ 90.91 ટકા પ્રાપ્ત કર્યા હતા. આમ બંને બહેનોએ માતાના સંઘર્ષને એળે જવા દીધો નથી.
આ પણ વાંચો,
GSEB ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે ફરીથી સ્કૂલમાં એડમિશન
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને સરકારી શાળામાં ભણતી સુરતની વિદ્યાર્થીની ધોરણ 12 માં મેળવ્યા 99.99 PR સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.