આગામી 24 કલાકમાં વાવાઝોડાની સંભાવના, હવામાન વિભાગ દ્વારા એલર્ટ

આગામી 24 કલાકમાં વાવાઝોડાની સંભાવના : અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થાય છે. અરબી સમુદ્રમાંથી ઉઠતા વાવાઝોડા ગુજરાતના દરિયા કાંઠાને ભારે નુકસાની લાવે છે. આવામાં ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉદભવ્યું છે. જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આ હવાનું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગે આપેલી માગિતી પ્રમાણે 5 જૂને, સાંજે 5.30 કલાકે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર હળવું દબાણ ઉભું થયું છે અને તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે છે, જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય શકે છે. હવામાન વિભાગે માછીમારોને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના પૂર્વ મધ્ય સમુદ્ર તરફ ન જવાની સલાહ આપી છે.

વાવાઝોડું ક્યારે ત્રાટકશે

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.

10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે.

ગુજરાતમાં ક્યાંથી પસાર થશે વાવાઝોડું

12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. વાવાઝોડું 13 જુનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જેના બાદ 12 થી 14 જુન વચ્ચે ચક્રવાત આવશે. હાલ ચક્રવાતની તમામ હિલચાલ પર નજર રાખવામા આવી રહી છે.

સાથે જ ચક્રવાતની તીવ્રતા કેટલી છે તેના પર પણ ફોકસ કરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું બાયપોરજોય ચક્રવાત ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

આ પાંચ દિવસ ક્યા ક્યા વરસાદ પડશે

4 જૂન – સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
5 જુન – બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદમ

હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન બનેલું છે, જેના લીધે ભેજ એકઠો થઈ રહ્યો છે. આ સાથે ગરમી પણ છે, જેના કારણે લોક્લ ક્નેક્ટિવિટી બનવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, 5 દિવસ વરસાદ પડે તેવી સંભાવના ઓછી છે.

ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. ગુજરાતમાં આજે વરસાદની આગાહી જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા એલર્ટ

ગુજરાતમાં ચોમાસું આવવાને હજી ઘણી વાર છે. કારણ કે, હજી કેરળમાં પણ ચોમાસું બેઠુ નથી. પરંતુ તે પહેલા જ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી જશે. ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે.

આ કારણે લોકોને ગરમીમાંથી મુક્તિ મળશે. અરબી સમુદ્રમાં 6 થી 9 જુનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો,Gujjuonline

સરકારી શાળામાં ભણતી સુરતની વિદ્યાર્થીની ધોરણ 12 માં મેળવ્યા 99.99 PR

ગુજરાતીઓ વાવાઝોડાને લઈ અંબાલાલની ઘાતક આગાહી

GSEB ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે ફરીથી સ્કૂલમાં એડમિશન

કોરોના કરતાં પણ વધુ ખતરનાક વાયરસ આવી રહ્યો છે

સુરતમાં હિરામાં આવશે જોરદાર મંદી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આગામી 24 કલાકમાં વાવાઝોડાની સંભાવના, હવામાન વિભાગ દ્વારા એલર્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.